કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

યે પબ્લિક હૈ સબ જાનતી હૈ!

ટી.વી પર રાજેશ ખન્નાની એક મૂવિનું સોન્ગ"યે પબ્લિક હૈ સબ જાનતી હૈ" આવી રહ્યું છે. જાહેરાત દરમિયાન રીમોટ દેવ દ્વારા ચેનલને ફેરવવામાં આવે છે.અવળચંડી ન્યૂઝ ચેનલ પર પગ સ્થિર(આંગળીઓ) થાય છે.આ ન્યૂઝ ચેનલ જાણે અન્ના હજારેના આંદોલનને કોઈપણ ભોગે નિષ્ફળ બનાવવું તેવા સંકલ્પ સાથે મેદાને પડી હોય તેવું લાગે છે.કોઈ ઘેટાં જેવો,ચશ્મા પહેરેલો,કાળો કોટ લટકાડેલો એન્કર સતત બફાટ કરે છે.તેના બફાટનો સાર એ છે કે અન્ના હજારે ઉપર હવે લોકોને વિશ્વાસ નથી,લોકો અન્ના અને તેની મંડળીથી દૂર ભાગી રહ્યા છે...વગેરે-વગેરે.દરેક ન્યૂઝ ચેનલો જે કોર્પોરેટ હાઉસીઝ દ્વારા સંચાલિત છે તેમાં ક્યા અન્ના કા જાદૂ ઢલ ગયા??,આજ કેજરીવાલ કા રાજ ખૂલેગા,કહાં ગયા જનસૈલાબ?? એવા ભળતા નામોથી ન્યૂઝ બનાવવાની હોડ લાગી છે.અન્ના ઉપર અને તેના સાથીઓ ઉપર આક્ષેપો થાય છે.નેગેટીવ રીપોર્ટીંગ થાય છે.ખિલ્લી ઉડાવાય છે.આ ન્યૂઝ ચેનલો દ્વારા લોકોને અન્નાના આંદોલનમાં ના શામેલ થવાની આડકતરી અપીલો પણ કરાય છે.
ખુર્શીદ,દિગ્વિજ્ય સિંહ,નારાયણ સામીનાં એઝ એક્સ્પેક્ટેડ સ્ટેટ્મેન્ટના ફૂટેજ સવાર-સાંજ બતાવાય છે.
દેખ તેરે ભારત કી હાલત ક્યા હો ગઈ ગાંધી??


ટીમ અન્નાનું આંદોલન ચાલતું રહે છે.ત્રણ દિવસ એટલે કે ૨૫-૨૬ અને ૨૭ ઓગસ્ટ રાહ જોયા પછી ચોથે દિવસે ૨૮ ઓગસ્ટની સવારે ૭૫ વર્ષનો વૃદ્ધ ગાંધીવાદી નાછૂટકે ઉપવાસનું શસ્ત્ર ઉપાડવાં મજબૂર થઈ જાય છે. અન્નાની આંદોલનને અનેક દ્ર્ષ્ટિથી જોવાની કોશિશો ચાલું જ છે.સામે પક્ષે ખાનગી ટી.વી ચેનલો અને અખબારોમાં બેફામ દુષ્પ્રચાર ચાલું છે.

જન લોકપાલ આંદોલન માત્ર લોકપાલ માટેનું આંદોલન મટીને અન્ના સહયોગી વિરુધ્ધ અન્ના વિરોધીઓ સુધી સીમિત થઈ ગયું છે.લોકપાલ અભેરાઈ પર ચડી ગયું છે.આંદોલનની પવિત્રતા ખોવાઈ ગયી છે,બયાનબાજીઓ થઈ રહી છે.એક બાજુ ટીમ અન્ના કોંગ્રેસના ૧૫ મંત્રીઓ પાસે સ્વીચબેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે તેનો ખુલાસો કરે છે તો બીજી બાજુ કોંગ્રેસ આ આંદોલનને ૨૦૧૪ની ચૂંટણી માટેનો એક સ્ટંટ બતાવી રહી છે.

કેજરીવાલ ઓન ફાયરઃબોલે તો જાણે આગઝરે!


ટીમ અન્નાનો વાણી-વિલાસ પણ સમ્રગ આંદોલનની ચર્ચાસ્પદ બાબત છે.એવું બની શકે કે અરવિંદ કેજરીવાલ સહિતના સભ્યોએ ઉઠાવેલાં મુદ્દા સાચાં હોય પરંતુ કડવું સત્ય કે નગ્ન સત્ય બોલતી વખતે તેના ફળ ભોગવવાની પણ તૈયારીઓ રાખવી જોઈએ.ટીમ અન્નાના એક સભ્ય કંઈક બોલે છે તો બીજો કંઈક અલગ નિવેદન આપી દે છે,સ્વાભાવિક છે કે આ લોકોનું વ્યાપારિક સંગઠન નથી કે બધાનો વિચાર એક જ હોય છે.પરંતુ વિરોધીઓને મોકળું મેદાન મળી જાય છે.

લોકો બધુ જાણે છે છતાંય ચૂપ છે-જનતાની આ ચૂપકિદીને બાજીગર સરકાર વિજય માની રહી છે,પરંતુ આ તો યુદ્ધ પહેલાની શાંતિ જણાય આવે છે.જંતર-મંતર પર ઉપવાસ માટે ભલે એકલા અન્ના જ બેઠા હોય પરંતુ આ દેશમાં અનેક પરીવારો રોજ ઉપવાસ કરે છે,બે ટંકનું ભોજન તેમને નસીબ નથી.

 

Share/Bookmark

Comments

Loading... Logging you in...
  • Logged in as
There are no comments posted yet. Be the first one!

Post a new comment

Comments by