કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

શું નરેન્દ્ર મોદી ગુનેગાર છે??

Comments


"ભારત જેવા શાંતિપૂર્ણ દેશમાં કોઈપણ સાંપ્રદાયિક ઘટના નિશ્ચિતપણે કોઈ વ્યક્તિકેન્દ્રી ના રહીને સમ્રગ દેશ માટે એક કલંક સમાન છે".-આ શબ્દો થોડાંક સમય પહેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહ આસામની સાંપ્રદાયિક ઘટના પ્રભાવિત વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે તેમણે ઉચ્ચારેલાં છે.હકીકત એ છે કે ભારતમાં અત્યાર સુધી બનેલી દરેક આતંકવાદી ઘટનાઓ,સાંપ્રદાયિક હિંસાઓ,જાતિ અને ભાષાઓ આધારિત ઝઘડાઓને છેલ્લી પાયરીના ગંદા રાજકારણની ભેટ ચઢી ગયા છે.જે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.ધર્મનિરપેક્ષતાની આડમાં પોતાને સેક્યુલર અને સમાજવાદી બતાવતા તથાકથિત બુદ્ધિજીવીયો અને રાજનેતાઓએ મોંફાટ નિવેદનો અને વાક્યપટુતા વડે દેશની એકતા અને અંખડિતતાને હંમેશા નુક્શાન જ પહોંચાડ્યુ છે.અવસરવાદી રાજકારણના જાણભેદુઓ વેચાઉ મીડિયાનો સહારો લઈને સુપ્રિમ ન્યાયલય કે કાયદાકિય ફેંસલાઓને પણ વોટબેંકની રાજનિતી માટે જેમ ફાવે તેમ ઉપયોગ કરે છે.જેથી દેશમાં એક ભ્રમની સ્થિતી ઊભી થઈ છે.કેટલાંક ઓવર-સ્માર્ટ રાજનેતાઓ પોતાને સર્વોચ્ચ ન્યાયાધીશ માનીને ત્વરિત પ્રતિક્રિયાઅને ફેંસલો આપી દે છે.કોંગ્રેસ ના અગ્રણી નેતા જયંતિ નટરાજનનું એક સ્ટેટમેન્ટ જેમાં ગોધરાકાંડ પર ન્યાયાલયનાં ફેંસલાને વાંચવાની તસ્દી પણ લીધા વિના પ્રતિક્રિયા આપી કે"ગોધરા કાંડ મુદ્દે નરેન્દ્ર મોદી દોષી છે તેમને ફાંસી આત્તપો".કોંગ્રેસની આખી જમાત આવા બેફામ નિવેદનો માટે કુખ્યાત છે,જાણભેદુઓ છે.એટલે જ કદાચ લઘુમતિઓમાં તેઓ પ્રખ્યાત છે.આવા વાક્પટુઓના વોટબેંકલક્ષી નિવેદનોને લીધે દેશમાં સૌહાર્દ અને સદભાવની ભાવના ઓછી થતી જાય છે.૧૯૮૪માં ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછીના સમયગાળામાં ફાટી નીકળેલી હિંસાને યોગ્ય ઠેરવવા માટે એક કોંગ્રેસી નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે "પેડ પડતા હૈ તો ધરતી તો હિલતી હૈ" આ જ કોંગ્રેસના એક બીજા અગ્રણી નેતાએ આસામ(કોકરાઝાર)ના હિંસાચારને "અસ્થાયી" ગણ્યો છે!

ભારત એક લોકતાંત્રિક દેશ છે.અતઃ બંધારણે દરેક નાગરિકને સ્વતંત્ર રીતે પોતાના લીડર ચૂંટવાની સ્વાધિનતા આપી છે.આ મૂળભૂત સ્વતંત્રતા પર ખતરો ક્યારે મંડરાઈ છે??-જ્યારે લોકતંત્રનો ચોથો સ્તંભ ગણાતું મિડીયા,ભ્રષ્ટ નેતાઓની સાથે સાંઠગાંઠ કરીને કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરે.નરેન્દ્ર મોદી સાથે કંઈક આવું જ બની રહ્યું છે.આ સમ્રગ પ્રકરણનું પ્રશ્નચિન્હ એ છે કે નરેન્દ્ર મોદીનો ગુનો શું છે??

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ ના દિવસે અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકોમાંથી ૫૯ કારસેવકોને જીવતા સળગાવી દેવાના દુષ્કુત્યનાં પ્રત્યાઘાત રૂપે ફાટી નીકળેલી તીખી સાંપ્રદાયિક હિંસા એ કંઈ ભારતની પહેલું સાંપ્રદાયિક તોફાન નહોતું.તેની પહેલા પણ ૧૯૪૭થી લઈને અત્યાર સુધી અનેક સાંપ્રદાયિક હુલ્લડો થયા છે.૧૯૬૧માં મધ્ય પ્રદેશના જબલપુરમાં થયેલા તોફાનો હોય કે ૧૯૬૯માં ગુજરાતના કોમી તોફાનો,૧૯૮૪ શીખ વિરોધી રમખાણો હોય કે ૧૯૮૭નાં મેરઠના કોમી તોફાનો,૧૯૮૯ ભાગલપુર,૧૯૯૨-૯૩ બાબરી ધ્વંસ ના પ્રતિભાવ રૂપે મુંબઈના ફાટી નીકળેલા તોફાનો,૨૦૦૮માં કંધમાલની હિંસા હોય કે ચાલુ વર્ષે આસામનાં કોકરાઝારમાં બનેલી ઘટના જેમા અત્યાર સુધી ત્રણ લાખ લોકો બેઘર બન્યાં છે.દરેક સાંપ્રદાયિક તોફાનો પછીના સમયગાળામાં એકતા અને અંખડિતતા પર રાજકારણ હાવી થઈ જાય છે.વોટ્બેંક માટે લઘુમતિઓને સહાનુભૂતિ દર્શાવીને છાવરવા માટેની હોડ લાગે છે.મિડીયા નિષ્પ્ક્ષ રીપોર્ટીંગ કરવાનું ભૂલી જઈને વોટબેંકના જાણભેદૂઓના ઈશારે નાચવા લાગે છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવાના અભિયાન સામે દરેક કહેવાતા સેક્યુલર પક્ષે રાજનિતીક પંડિતોની મદદથી એન્ટી નરેન્દ્ર મોદી વાતાવરણ ઊભું કર્યુ છે.મોદીને જે વ્યક્તિ મળે તે સાંપ્રદાયિક જ કહેવાય.મોદીની છાપ ભગવાં હિન્દુત્વના પ્રચારક તરીકે જોર-શોરથી કરવામાં આવી રહી છે.મોદીની પૂર્વભૂમિકા સંઘ પ્રચારકની છે જે બાબત સમ્રગ ઝૂંબેશમાં આગમાં ઘી ઉમેરવાનું કાર્ય કરે છે.ટૂંકમાં મોદીને હિન્દુત્વ ના હિમાયતી અને મુસ્લિમમોના કટ્ટર વિરોધી છે તેવું બ્રાંન્ડિગ કરવામાં આવી રહ્યું છે.જે ભારતીય રાજકારણમાં એક અક્ષમ્ય અપરાધ છે,ઈતિહાસ માફ નહી કરે એવાં લોકોને જે મોદી વિરોધી દુષ્પ્રચાર કરવાનું કાર્ય કરી રહ્યાં છે. અન્ના હજારેથી લઈને બાબા રામદેવ જે કોઈએ પણ મોદીની પ્રશંસા કરી તેને બુદ્ધિજીવીઓ અને સેક્યુલરોની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.એક બાજુ શીલા દિક્ષીત અને શરદ પવારને મોદીની પ્રશંસા માટે ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા તો બીજી બાજું વસ્તાનવી અને સમાજવાદી ધારાસભ્ય શાહિદ સીદ્દીકીને પોતપોતાના પદેથી હાથ ધોવા પડ્યા હતાં.ભારતીય રાજકારણમાં મોદી સાથે અછૂત જેવો વ્યવહાર શા માટે?? દેશની સર્વોચ્ચ ન્યાયાલયે પણ ગોધરાકાંડ બદલ તેમને દોષી નથી ગણ્યા કે નથી માફી માંગવાની ભલામણ કરી.તો સેક્યુલર ચોખલીયાઓ અને મીડિયાના પ્રતિનીધીઓ બંધારણની કઈ કલમને આધારે મોદીને માફી માંગવાની માંગ કરી રહ્યાં છે?? ગોધરા કાંડ અને નરોડા પાટીયાનાં રમખાણોને થોડાંજ દિવસોમાં નિયંત્રણમાં લેનાર અને ૨૦૦૨ પછીના સમયમાં એક પણ હુલ્લ્ડ ન થવા દેવામાં સફળ થનાર નરેન્દ્ર મોદી આજે પણ ભારતીય રાજનીતિમાં અછૂત છે.


Share/Bookmark